શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી-ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે મુદત વધારાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી – ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ માંગવામા આવેલ પરંતુ સિંચાઇ માટેના પુરતા પ્રમાણમાં ફોર્મ આવેલ ન હોઇ, અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે. જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમા સિંચાઇના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રબી – ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમા તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગની યાદીમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment